રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ ખાસ કરીને પ્રભાવિત થયા છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ભેજને કારણે છૂટાછવાયા હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદની તીવ્રતા વધવાના સંકેતો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવને કારણે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશા દરિયાકાંઠે લો-પ્રેશર ક્ષેત્ર રચાયું છે. આને કારણે, આગામી ચાર દિવસ સુધી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, આ હવામાન પ્રણાલી વધુ મજબૂત બનશે અને આગામી 48 કલાકમાં ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આને કારણે, દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં હવામાન કઠોર રહેશે, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી એક અઠવાડિયા માટે વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
ગુજરાતમાં હાલમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત ન હોવાથી, આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે, ભેજવાળા વાતાવરણને કારણે, છૂટાછવાયા સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ, હવામાન વિભાગે હવે રાહતના સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆત સાથે રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણની શક્યતા છે.
વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક અને ભારે વરસાદ પડી શકે છે.
આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. 5 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 12 સપ્ટેમ્બર પછી રાજ્યમાં વરસાદની નવી શક્યતાઓ ઉભી થઈ રહી છે. 12 સપ્ટેમ્બરની આસપાસ દરિયામાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, દરિયામાં હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. દરિયાની ગતિવિધિઓ અને પવનની તીવ્ર ગતિ રાજ્યના એકંદર હવામાનને અસર કરશે. 23 સપ્ટેમ્બરની આસપાસ ગરમી રહેવાની સંભાવના છે. 13 સપ્ટેમ્બરે સૂર્યના નક્ષત્ર પરિવર્તન પછી વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની સંભાવના છે. આગામી દિવસોમાં હવામાન ગરમી, ભેજ અને વરસાદનું મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના છે.
ચોમાસાના નક્ષત્રોની અસરને કારણે રાજ્યમાં નવી વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. 13 સપ્ટેમ્બરે સૂર્યના નક્ષત્ર પરિવર્તન પછી વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. આ નક્ષત્ર પરિવર્તનની અસરને કારણે, ખાસ કરીને ગુજરાતના ઉત્તરીય ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જન્માષ્ટમીના તહેવાર પર રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં દબાણ સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે.

