ખેડૂતો આનંદો…હવામાન વિભાગે જાહેર કરી ચોમાસાની તારીખ, આ તારીખે કેરળમાં બેસી શકે ચોમાસું?

ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા કે ચોમાસું વહેલું આવશે, ત્યારે હવે હવામાન વિભાગે ચોમાસા વિશે પણ માહિતી…

Varsad

ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા કે ચોમાસું વહેલું આવશે, ત્યારે હવે હવામાન વિભાગે ચોમાસા વિશે પણ માહિતી આપી છે. હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી છે.

હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી છે. કેરળમાં ચોમાસું 27 મેના રોજ બેઠી શકે છે. જ્યારે આગાહીમાં 4 દિવસનો વધારો કે ઘટાડો થવાની શક્યતા છે. ગયા વર્ષે ચોમાસું 30 મેના રોજ બેઠી હતી. છેલ્લા 20 વર્ષમાં આ તારીખ 19 વખત સાચી પડી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચોમાસું 19 મેના રોજ આંદામાન પહોંચ્યું હતું. જ્યારે ચોમાસું કેરળના 15 દિવસ પછી ગુજરાતમાં પહોંચશે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ભારતીય હવામાન વિભાગે એપ્રિલના મધ્યમાં આ અંગે આગાહી જાહેર કરી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105 ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા નકશા અનુસાર, ગુજરાતમાં આછો વાદળી રંગ અને ઘેરો વાદળી રંગ જોવા મળી રહ્યો છે. જે દર્શાવે છે કે રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. નકશા જોતાં, એવો અંદાજ છે કે રાજ્યમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે. જ્યાં ઘેરો વાદળી રંગ જોવા મળી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનો પહેલો અંદાજ જાહેર કર્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં 105 ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. IMD એ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નિનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી.

ચાર મહિનાના ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઋતુમાં સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ પડવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્ય કરતાં ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નિનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે.