અંબાલાલ પટેલની ધ્રુજાવી દે તેવી આગાહી: ૧૪૯ વર્ષ પછી સર્જાશે આવો મહાસંયોગ! ગુજરાત માથે કેવું સંકટ તોળાઈ રહ્યું છે? ખાસ જાણો

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર છે. હાલોલ સ્થિત ગુજરાત નેચરલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં હાજર રહેલા પ્રખ્યાત હવામાન નિષ્ણાત…

Varsad

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર છે. હાલોલ સ્થિત ગુજરાત નેચરલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં હાજર રહેલા પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અને આગામી ચોમાસા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, હવે રાજ્યમાં તાપમાન ધીમે ધીમે ઘટશે અને ટૂંક સમયમાં મેઘરાજાના પ્રવેશ માટે અનુકૂળ વાતાવરણ બનશે.

ગરમી ઓછી થશે અને હવામાન વાદળછાયું રહેશે
અંબાલાલ પટેલના મતે, આકાશમાં વાદળો દેખાવા લાગ્યા છે અને આગામી દિવસોમાં વાદળોનું પ્રમાણ વધશે. અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ સક્રિય થવા લાગી છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા વધુ છે.

૧૯ થી ૨૪ મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા
૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩ અને ૨૪ મે દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પૂર્વ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા આવી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પવનની ગતિ ભારે રહેવાની શક્યતા છે અને પવનના ઝાપટા પણ પડી શકે છે. આ દરમિયાન ૩૫ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે?

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૨ ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ૧ ઇંચથી વધુ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જામનગર અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડશે.

ચોમાસાની સમયરેખા: કેરળથી ગુજરાત સુધીની સફર
અંબાલાલ પટેલે ચોમાસાના આગમન અંગે મહત્વપૂર્ણ તારીખો પણ જાહેર કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 23 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ શ્રીલંકાના પૂર્વ કિનારા પર ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળશે. 26 મેના રોજ ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. 10 જૂનના રોજ ચોમાસું મુંબઈ સુધીના ભાગોમાં પહોંચશે. ચોમાસું 15 જૂનની આસપાસ સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. આ સાથે, 15 જૂન સુધી અરબી સમુદ્રમાં ચક્રવાત (તોફાન) ની અસર પણ જોવા મળી શકે છે. 23 જૂનથી રાજ્યભરમાં સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા છે.

અલ નિનો 149 વર્ષ પછી સક્રિય થશે, પરંતુ ચોમાસું સારું રહેશે!

આ વર્ષના ચોમાસાની સૌથી મોટી ખાસિયત એ છે કે ‘અલ નિનો’ 149 વર્ષ પછી ફરી એકવાર સક્રિય થવાનું છે. જોકે, હવામાન નિષ્ણાતોના મતે, આનાથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વર્ષે એકંદરે ચોમાસુ ખૂબ જ સારું અને પ્રગતિશીલ રહેવાની અપેક્ષા છે, જે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે.