14 મિત્રો અને દેશી ઢાબા… શાંત સ્વભાવના અને ધરતી સાથે જોડાયેલા ધોની પર ફેન્સ ફિદા ફિદા થઈ ગયાં

પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો મહેન્દ્ર સિંહ ધોની હાલમાં જ પોતાના નજીકના મિત્રો સાથે ઢાબા પર ડિનર કરતો જોવા મળ્યો હતો. ધોનીએ સમગ્ર વિશ્વમાં એક…

પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો મહેન્દ્ર સિંહ ધોની હાલમાં જ પોતાના નજીકના મિત્રો સાથે ઢાબા પર ડિનર કરતો જોવા મળ્યો હતો. ધોનીએ સમગ્ર વિશ્વમાં એક અનોખી છાપ છોડી છે. આ હોવા છતાં તે ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. ધોનીને મોટાભાગે સાદી જગ્યાઓ પર સમય પસાર કરવો ગમે છે. ધોનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

તાજેતરમાં જ ધોની તેના જૂના મિત્રો સાથે દેશી સ્ટાઈલના ઢાબામાં ભોજન લેતો જોવા મળ્યો હતો. જેના માટે ચાહકો તેના સતત વખાણ કરી રહ્યા છે. ધોનીના ચાહકો મેદાનની બહાર તેના જીવન વિશે નવી માહિતી મેળવવા માટે હંમેશા ઉત્સુક હોય છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં તે 14 મિત્રો સાથે પરંપરાગત ભારતીય શૈલીમાં વીકએન્ડ ભોજનનો આનંદ માણતો જોવા મળે છે. આ મેળાવડો ધોનીની સાદગી અને જૂના મિત્રો સાથેના તેના મજબૂત બંધનને દર્શાવે છે.

વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ધોની પોતાની ધરતી સાથે જોડાયેલો છે. તે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને રાંચી પાસેના તેના ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ જાણીતો છે. તેની ક્રિકેટની સિદ્ધિઓ હોવા છતાં, તે હંમેશા મિત્રો અને ચાહકો માટે ઉપલબ્ધ છે. ધોનીની ક્રિકેટ કારકિર્દી બેજોડ રહી છે. તે ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે: 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી તેની કપ્તાની હેઠળ જીતી છે.

તેણે 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી અને 2020માં ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીને લઈને સૌથી મોટો સવાલ એ છે કે તે IPL 2025 રમશે કે નહીં? તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ફેન્સ આવતા વર્ષે ધોનીને રમતા જોવા માંગે છે. પરંતુ ધોનીને રમવા અંગેનો મોટો નિર્ણય IPL રિટેન્શનના નિયમ બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *