આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં લો પ્રેશર, મોનસુન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લો પ્રેશર, મોનસુન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધશે. જેના કારણે આગામી દિવસોમાં વીજળી અને વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ૧૪ ઓગસ્ટ સુધી ૬ દિવસની આગાહી દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદનું કોઈ નારંગી કે લાલ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ નાગરિકોને વીજળીના કડાકા અને ભારે પવનને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતા વધશે. મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાને કારણે, તાપી અને નર્મદા નદીઓના જળસ્તરમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં વધારો થઈ શકે છે. માઘ નક્ષત્રનો વર્તમાન વરસાદ ઉભા પાક માટે ખૂબ ફાયદાકારક રહેશે. ૧૫ ઓગસ્ટ સુધી વરસાદની તીવ્રતા પછી, ૧૭, ૧૮ અને ૧૯ ઓગસ્ટ તેમજ ૨૩ ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી નવેમ્બર મહિના સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. સપ્ટેમ્બરમાં, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે ભારે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. ૧૩ સપ્ટેમ્બરની આસપાસ ગરમીનું મોજું પણ તીવ્ર બનશે. સપ્ટેમ્બરમાં વરસાદ તૈયાર પાકને નુકસાન પહોંચાડી શકે છે અને જીવાતોનો ઉપદ્રવ વધારી શકે છે, તેથી ખેડૂતોને યોગ્ય સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પણ તોફાન આવવાની શક્યતા છે.

