અંબાલાલ પટેલની ડરામણી આગાહી: ભાદરવો મહિનો ગુજરાતમાં ભૂક્કા કાઢશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં, ભાદરવા મહિનામાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. 10 સપ્ટેમ્બરથી રાજ્યમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. પ્રખ્યાત…

Varsadstae

ગુજરાતમાં, ભાદરવા મહિનામાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. 10 સપ્ટેમ્બરથી રાજ્યમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ નવી વરસાદી સિસ્ટમને કારણે, અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અલ નીનોનો ભય અને ભારતીય ચોમાસાની પેટર્નમાં ફેરફાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અલ નીનોની અસર અંગે ચિંતાજનક આગાહી પણ કરી છે. પ્રશાંત મહાસાગરના સમુદ્ર સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે અને પેરુ નજીક દરિયાનું પાણી પણ સામાન્ય કરતા વધુ ગરમ થઈ ગયું છે. અલ ​​નીનોની આ પરિસ્થિતિને કારણે, ભારતીય ચોમાસાની પેટર્નમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. પરિણામે, દેશના કેટલાક ભાગોમાં વધુ પડતો વરસાદ અને કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનું જોખમ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે, 10 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. પશ્ચિમ બંગાળથી ગુજરાત તરફ એક મજબૂત સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે. 14 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વૈશ્વિક હવામાનમાં ફેરફાર અને દરિયાઈ પ્રણાલીઓના સક્રિય થવાની શક્યતા
અલ નીનોને કારણે, માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ વૈશ્વિક હવામાન પેટર્નમાં પણ મોટા ફેરફારો થવાની શક્યતા છે, જેના કારણે પ્રશાંત મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય તોફાનનો ભય વધ્યો છે. ભારતમાં, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે. જ્યારે ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં પણ હવામાન સક્રિય થશે. જો અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય છે, તો સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

શિયાળાની ઋતુ પર અસર અને વધતી અનિશ્ચિતતા
અલ નીનોની વાસ્તવિક અસર નવેમ્બરથી વધુ સ્પષ્ટ થશે, જેની સીધી અસર શિયાળાની ઋતુ અને ખાસ કરીને ફેબ્રુઆરીના તાપમાન પર પણ થશે. એકંદરે, વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ભવિષ્યમાં હવામાનની અનિશ્ચિતતા વધુ વધવાની સંભાવના છે. વધુમાં, અંબાલાલ પટેલે સપ્ટેમ્બરના અંતમાં પણ વરસાદની આગાહી કરી છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ અપેક્ષા છે. હાલમાં, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સરેરાશ 16% વરસાદની ખાધ નોંધાઈ છે, જે વરસાદના આ નવા રાઉન્ડથી ભરવાની અપેક્ષા છે.