અંબાલાલ પટેલની મોટી આગાહી: રક્ષાબંધન અને સાતમ-આઠમ પર મેઘરાજા બગાડશે રંગ! તહેવારોમાં વરસાદનું ભારે સંકટ

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલા લો-પ્રેશર સિસ્ટમ અને અમૃતસરથી આ સિસ્ટમ સુધી સક્રિય…

Varsad

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલા લો-પ્રેશર સિસ્ટમ અને અમૃતસરથી આ સિસ્ટમ સુધી સક્રિય ચોમાસાના પ્રવાહની અસર ગુજરાતમાં જોવા મળશે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં હજુ પણ 4 ટકા વરસાદની ખાધ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આમ છતાં, રાજ્યમાં હજુ પણ સરેરાશની સરખામણીમાં 4 ટકા વરસાદની ખાધ નોંધાઈ રહી છે. સૌથી મોટી ચિંતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે, જ્યાં 22 ટકા વરસાદની ખાધ છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં સરેરાશ કરતા 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ૨૬ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, રક્ષાબંધન અને સાતમ અને આઠમના તહેવારો દરમિયાન ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં અને સપ્ટેમ્બર દરમિયાન હળવું હવાનું દબાણ સર્જાતાં રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. તેથી, આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે. હવે બધાની નજર આ આગાહી કેટલી સચોટ સાબિત થાય છે તેના પર રહેશે.