હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત

હિંમતનગર પાસે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં…

Himatnagar

હિંમતનગર પાસે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે વહેલી સવારે ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇનોવા કારમાં સવાર 8 લોકોમાંથી 7 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે પહેલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં વઘુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

ઇનોવા કાર લઈને આ તમામ લોકો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતને પગલે કારનો કચ્ચરગાણ નીકળી ગયો હતો. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર કુલ આઠ લોકોમાંથી 7 પુરુષો 1 મહિલા હતી, જેમાં મહિલાની હાલત ગંભીર છે.

અકસ્માતને પગલે હિમતનગર ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. અકસ્માતમાં ગાડીની એટલી ભયંકર હાલત સર્જાઇ હતી કે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે તમામ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *