સાંસદ રૂપાલા સામે ફરી એકવાર રાજપૂત ક્ષત્રિય સમાજ આકરા પાણીએ: બધી જવાબદારીથી મુક્ત કરવા માંગ

રાજકોટના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલાએ એક સભામાં રામ અને વાલી વિશે વાત કરી હતી. આ મામલે રાજપૂત સમાજે ફરી એકવાર વિરોધ નોંધાવ્યો…

રાજકોટના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલાએ એક સભામાં રામ અને વાલી વિશે વાત કરી હતી. આ મામલે રાજપૂત સમાજે ફરી એકવાર વિરોધ નોંધાવ્યો છે. પરષોત્તમ રૂપાલાની આરાધ્ય ભગવાન રામ વિશેની ટિપ્પણીઓ ફરી એકવાર રાજપૂત સમાજમાં રોષનું કારણ બની રહી છે.

ગુજરાત રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે ઉમદા વાત કરી છે. ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે.

સંકલન સમિતિએ કેન્દ્ર સરકારને આવા નિંદા કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પત્ર મોકલ્યો છે. રૂપાલાએ ફરી એકવાર સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. અમે માંગ કરીએ છીએ કે ભાજપ સંગઠન રૂપાલાને તમામ જવાબદારીમાંથી મુક્ત કરે કરણસિંહ ચાવડા (પ્રવક્તા- ગુજરાત રાજપૂત સંકલન સમિતિ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *