મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેએ આ ‘કિલર કાર’નો ઉપયોગ કર્યો હતો

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની હત્યા વખતે ખાસ કારનો ઉપયોગ કરવામાં આવ્યો…

Gandhi 2

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની હત્યા વખતે ખાસ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારની વારંવાર ચર્ચા થાય છે. નાથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી અને આ ઘટનામાં વપરાયેલી કારને ‘કિલર કાર’ તરીકે ઓળખવામાં આવે છે.

ગોડસેએ હત્યાના દિવસે સ્ટુડબેકર કારનો ઉપયોગ કર્યો હતો. આ કાર તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી. આ કારમાં ગોડસે બિરલા હાઉસ પહોંચ્યા, જ્યાં ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. આ રીતે આ કાર પણ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ. તે સમયે આ કારને લક્ઝરી સેડાન માનવામાં આવતી હતી.

જૌનપુરના મહારાજાએ તેને ખરીદ્યું હતું
જો આજે આ કારને જોઈએ તો તેની નંબર પ્લેટ પર USF-73 લખેલું છે. સ્ટુડબેકર કાર જૌનપુરના મહારાજાએ ખરીદી હતી. તેણે તેને ખાસ કસ્ટમાઇઝ પણ કરાવ્યું. જ્યારે ગોડસે આ કારમાં બિરલા હાઉસ પહોંચ્યા અને ગાંધીજીને ગોળી મારી દીધી, ત્યારે પોલીસે આ કારને જપ્ત કરી લીધી. આ કાર 1956 સુધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહી હતી. થોડા વર્ષો પછી તેની હરાજી કરવામાં આવી હતી.

1978માં સની કલિંગ નામના વ્યક્તિએ આ કિલર કાર એક ઓક્શનમાંથી ખરીદી હતી. આ લીલા રંગની કાર છે, જેમાં છ સિલિન્ડર સંચાલિત એન્જિન છે. લોકો હવે 1930 મોડલની સ્ટુડબેકર કારને વિન્ટેજ કાર તરીકે જાણે છે. તેના માલિકો પણ સમય સાથે બદલાતા રહ્યા.

સૌથી લોકપ્રિય વિન્ટેજ કારમાં
સ્ટુડબેકર કારનું નામ પણ ભારતની સૌથી આઇકોનિક કારમાં સામેલ છે. તે ઘણીવાર વિન્ટેજ કાર રેલીઓમાં જોવા મળે છે. આ સિવાય આ કારે વિન્ટેજ કાર શોમાં સૌથી પાવરફુલ કાર સહિત અનેક ઈનામો પણ જીત્યા છે. હાલમાં, આ કારના માલિકનું નામ પરવેઝ જમાલ સિદ્દીકી છે, જે દિલ્હી સ્થિત મિકેનિક અને વિન્ટેજ કાર પ્રેમી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *