હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યને હજુ પણ ચોમાસાના પ્રવેશ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 દિવસ પછી એટલે કે 15 જૂન પછી ચોમાસું સારી રીતે સક્રિય થશે, તેથી આગામી 15 દિવસ સુધી હજુ પણ વરસાદની કોઈ શક્યતા નથી.
હાલમાં, રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની આગાહી કરી છે. આગામી 3-4 દિવસ પછી અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એવી આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં અનુકૂળ હવામાનમાં મુંબઈથી ગુજરાતમાં ચોમાસું આવશે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાન બદલાયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 31 મેના રોજ વાવાઝોડા અને વીજળીની આગાહી કરી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

