ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાજુ કરપડાએ રાજીનામું આપી દીધુ..શું હવે ભાજપમાં જોડાશે ?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટો તિરાડ પડી ગઈ છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે…

Raju

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટો તિરાડ પડી ગઈ છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે બે વર્ષ બાકી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

નોંધનીય છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં સક્રિય નેતા હતા અને તેઓ ખેડૂતોના મુદ્દાઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. રાજુ કરપડા 2022માં ચોટીલા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ ખેડૂતલક્ષી મુદ્દાઓનું નેતૃત્વ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં પણ તેમને એક અનુભવી નેતા માનવામાં આવતા હતા.

તેઓ આમ આદમી પાર્ટીમાં ક્યારે જોડાયા? સુરેન્દ્રનગરના રાજકારણનો લોકપ્રિય ચહેરો રાજુ કરપડા 2021-22માં AAPમાં જોડાયા હતા અને સક્રિય નેતા હતા. તેઓ વિવિધ જવાબદારીઓ પણ સંભાળી રહ્યા હતા. તેમના અચાનક રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.