અંબાલાલ પટેલની મોટી આગાહી: ડંકાની ચોટ પર નોંધી લેજો આ તારીખો, ગુજરાતમાં ફરી તૂટી પડશે વરસાદ!

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકો ચિંતિત હતા, પરંતુ હવે વરસાદના અભાવ વચ્ચે રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે.…

Varsadf

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકો ચિંતિત હતા, પરંતુ હવે વરસાદના અભાવ વચ્ચે રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો થી 3 ઇંચ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો થી 3-4 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત વરસાદી સિસ્ટમ રચાઈ રહી છે. આ સિસ્ટમની અસર આવતીકાલથી એટલે કે 12 સપ્ટેમ્બરની સાંજથી ગુજરાતમાં શરૂ થવાની સંભાવના છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં ફરી વરસાદી સ્થિતિ સર્જાશે અને મેઘરાજા પહેલા દક્ષિણ ગુજરાતમાં પહોંચશે. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

આ નવી સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, મહુવા અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને ધ્રાંગધ્રામાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આગાહી મુજબ, આમાંથી કેટલાક વિસ્તારોમાં ૨ થી ૩ ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં અરબી સમુદ્ર સક્રિય થઈ શકે છે. આ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડી શકે છે.

વીજળીથી સાવધાન રહેવાની અપીલ અને નવી સિસ્ટમની અપેક્ષા
બંગાળની ખાડીમાં રચાયેલી આ સિસ્ટમની અસર ૧૬ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી, લોકોને વીજળીથી સાવધાન રહેવા અને સલામત સ્થળોએ રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સૌથી ખુશીના સમાચાર એ છે કે વરસાદનો આ રાઉન્ડ પૂરો થયા પછી, ૧૮ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં બીજી નવી વરસાદી સિસ્ટમ રચાય તેવી શક્યતા છે. આમ, સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં ગુજરાત માટે સારો વરસાદ આવશે તેવી આશા છે.