ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય: તહેવારોમાં મેઘરાજાની મહેર, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં સારો વરસાદ પડ્યો નથી. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7…

Varsad

ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં સારો વરસાદ પડ્યો નથી. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડશે. હાલમાં, ગુજરાત ઉપર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેમાં ચક્રવાતી પરિભ્રમણ, લો પ્રેશર અને મોનસુન ટ્રફ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે, ચક્રવાતી પરિભ્રમણ અને મોનસુન ટ્રફ પણ સક્રિય છે. હાલમાં, દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. આ ત્રણેય સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 72 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ૨૬ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે અને સપ્ટેમ્બર દરમિયાન હળવા હવાના દબાણના નિર્માણને કારણે, રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ એવું જ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, ગ્રહ નક્ષત્રો અને હવામાન પરિબળોને કારણે, ૨૩ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારિજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલી મધ્યપ્રદેશ પર બનેલી લો-પ્રેશર સિસ્ટમ અને મોનસુન ટ્રફને કારણે હળવા વરસાદ પડી રહ્યો છે. હાલમાં મિશો લહેર સક્રિય ન હોવાથી અને પ્રશાંત મહાસાગરની સિસ્ટમો બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચી રહી હોવાથી, સ્થાનિક હવામાનમાં ફેરફાર થશે. 26 ઓગસ્ટથી બંગાળની ખાડી વધુ સક્રિય બનશે કારણ કે જાપાન અને દક્ષિણ ચીનમાંથી સિસ્ટમોના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. પરિણામે, ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે.