ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે…..બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા…

ફરી એકવાર તોફાન આવી રહ્યું છે. 20 અને 24 ઓક્ટોબરની વચ્ચે મધ્ય બંગાળની ખાડી પર એક નવું ચક્રવાત રચાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને…

Vavajodu

ફરી એકવાર તોફાન આવી રહ્યું છે. 20 અને 24 ઓક્ટોબરની વચ્ચે મધ્ય બંગાળની ખાડી પર એક નવું ચક્રવાત રચાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને પણ વાવાઝોડા અંગે ચેતવણી આપી છે. ડિપાર્ટમેન્ટે ડિસ્ટર્બન્સ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

દિવાળીના એક સપ્તાહ પહેલા શિયાળાને બદલે ગુજરાતમાં ફરી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસર હેઠળ, 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે. ત્યાર બાદ, લો પ્રેશર વિસ્તાર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે વરસાદ અને 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં તેજ પવનની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે સ્થાનિક કન્વેક્શન વરસાદ પડશે. આ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા જોવા મળે છે કે ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ જેવો અનુભવ થાય છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી ભયજનક છે. તેમણે 2027 સુધીની આગાહી કરી અને કહ્યું કે આગામી દાયકાઓ વધુ ખરાબ હશે.

મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદની સ્થિતિ ચાલુ રહેશે. ત્યારબાદ 23મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધશે અને 25મીએ વધુ ઝડપી બનશે. આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં આજે પલટો આવવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવવાની શક્યતા છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે.

મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ ચાલી રહી છે. જેના કારણે દરિયાકાંઠાના તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ સુધી ભારે વરસાદની સંભાવના છે. IMDએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં 21 ઓક્ટોબરની આસપાસ નવું લો પ્રેશર બનવાની શક્યતા છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *