ગુજરાતમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પાટા પર મૂકેલા લોખંડના ટુકડાંથી એન્જિનને નુકસાન

બોટાદઃ છેલ્લા કેટલાય સમયથી દેશમાં ટ્રેનને ઉથલાવવા કાવતરા ચાલી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં પણ આવું જ એક ષડયંત્ર રચાયું હતું ત્યારે આજે વધુ એક ટ્રેન…

Train 6

બોટાદઃ છેલ્લા કેટલાય સમયથી દેશમાં ટ્રેનને ઉથલાવવા કાવતરા ચાલી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં પણ આવું જ એક ષડયંત્ર રચાયું હતું ત્યારે આજે વધુ એક ટ્રેન ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયા છે.

ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો કારસો સામે આવ્યો છે. બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયા છે. પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઈપને નુકસાન થયું હતું.

આ ઘટનાને પગલે ભાવનગર-ઓખા ટ્રેનને બીજા એન્જિન સાથે જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

જણાવી દઇએ કે તાજેતરમાં સુરતમાં થયેલા ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસનું ષડયંત્ર કોઇ આતંકી કે ભાંગફોડીયા તત્વે નહીં પણ રેલવેના જ કર્મીએ પ્રમોશન મેળવવા પોતાની સર્તકતા બતાવવા ઉપરોકત કાવતરૂ રચ્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *