NavBharat Samay

ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બનશેઃ આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ 15થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બને તેવી શક્યતા છે.

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 141 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ તાલુકામાં 12.8 ઇંચ નોંધાયો છે. સુરતના ઉમરપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 10 ઇંચ અને ખેડાના નડિયાદ માં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ તરફી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે ભારે વરસાદ પડશે. લૉ પ્રેશર અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

જેના કારણે આણંદ, સુરત અને સુરેન્દ્રનગર, ખેડા, નર્મદા, સુરત, ભરૂચ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને કચ્છ પાસે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદનો માહોલ યથાવત્ રહેશે.

સાઈક્લોનિક સર્ક્યૂલેશનના કારણે 15થી 19 ઓગસ્ટ દરમિયાન નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 182 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 2થી 7.4 ઇંચ સુધી જ્યારે 54 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

Read More

Related posts

અંગ્રેજોના જમાનાનો 1 રૂપિયાનો એન્ટિક સિક્કો બનાવશે લખપતિ, રાતોરાત પૈસાનો વરસાદ થશે, બસ આટલું કરવું પડશે કામ

mital Patel

સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ: અનેક ગામો બેટમાં ફેરવાયા,જાણો ક્યાં અને કેટલો વરસાદ પડ્યો

mital Patel

કળયુગ વિશે ભગવાન રામ દ્વારા કહેલી આ બાબતો આજે સાચી પડી રહી છે, જાણો

Times Team